(ર.૧) પશ્ચિમ રેલ્વે પોલીસનો ઉદેશ/હેતુ
રેલ્વેમાં મુસાફરી કરતાં મુસાફરો તથા રેલ્વે કોલોની માં રહેતાં રેલ્વે કમર્ચારીઓના જાનમાલના રક્ષણ માટે અને મુસાફરોની સંપૂર્ણ સલામતી અને નિર્ભય રીતે રેલ્વે ધ્વારા મુસાફરી કરી શકે, મહાનુભાવો, વી.આઇ.પી.ઓ વિગેરે પણ રેલ્વે ટ્રેનો ધ્વારા મુસાફરી દરમ્યાન સુરક્ષા સંપાદન કરી શકે તે માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેનો પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટમાં ફરજ દરમ્યાન પોલીસ કર્મચારી/ અધિકારીઓનો મુખ્ય ઉદેશ છે. તેમજ પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટમાં બનતા ગુનાઓ મિલકત વિરૂધ્ધના તેમજ અન્ય ગુનાઓ બનતા અટકાવવાનું તેમજ ગુનાઓ શોધી ગુનેગારોને યોગ્ય સજા કરાવવાનો ઉદેશ છે.પ. રેલ્વે પોલીસ યુનિટનું મુખ્ય મથક, વડોદરા ખાતે આવેલ છે. આ યુનિટ અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર તથા પોલીસ મહાનિદેશકશ્રી(રેલ્વઝ) ગુ.રા.ગાંધીનગરનાઓના વડપણ હેઠળ કાર્યરત છે.
(ર.ર) પશ્ચિમ રેલ્વે પોલીસનું મિશન/દૂરદર્શીપણું(વિઝન)
રેલ્વેમાં મુસાફરી કરતાં મુસાફરો તથા રેલ્વે કોલોનીઓમાં રહેતાં રેલ્વે કર્મચારીઓના જાન- માલનું રક્ષણ તથા મુસાફરો સંપૂર્ણ સલામતી અને નિર્ભય રીતે રેલ્વે ધ્વારા મુસાફરી કરી શકે તે અંગેનો વિશ્વાસ સંપાદન કરવાનો તેમજ કાયદો અને વ્યવસ્થાની તમામ પરિસ્થિતીને પહોંચી વળવાનું રેલ્વે પોલીસનું મિશન છે. આ ઉપરાંત ઉપરી અધિકારીશ્રીઓ તેમજ સરકારશ્રી તરફથી જયારે - જયારે માહિતી ઓ માંગવામાં આવે છે.તે માંગ્યા મુજબની માહિતી સમયમર્યાદામાં પુરી પાડવી, જનતા તરફથી કરવામાં આવતી રજૂઆતો ફરીયાદોના તાત્કાલીક નિકાલ કરવાની, ગુના ખોરી અટકાવવાની, ગુનેગારોને અટક કરવાની, વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવાની , અસામાજીક પ્રવૃતિ ઓને સખ્ત હાથે દામી દેવાની, સામાન્ય પ્રજામાં પોલીસ પ્રત્યે વિશ્વાસનિયતા વધે તે મુજબ કાર્ય કરવાની મુખ્ય કામગીરી છે.
(ર.૩) પશ્ચિમ રેલ્વે પોલીસનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ
પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ(જી.આર.પી.)તા.૦૧/૦૫/૧૯૬૦થી મહારાષ્ટ્ર રાજય માંથી અલગ પડતા આ યુનિટ અસ્તિત્વમાં આવેલ છે.આ યુનિટ માટે સમગ્ર ગુજરાત પુરતા એક પોલીસ અધિક્ષકના તાબામાં કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટની સંપૂર્ણ જવાબદારી હતી.અને પ. રેલ્વે પોલીસ યુનિટમાં કૂલ-રર પોલીસ સ્ટેશનો સમગ્ર ગુજરાત રાજય લેવલે કાર્યરત હતાં.તથા કૂલ- પ૬ આઉટ પોસ્ટ આવેલ હતાં. પ. રેલ્વે પોલીસ યુનિટમાં આવેલ પોલીસ સ્ટેશનોનો વિસ્તાર ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલ હતો.આ ત્રણ વિભાગ વડોદરા, અમદાવાદ, અને રાજકોટ હતા. આ વિભાગોના વડા નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ હતાં. . જેઓની કચેરી વડોદરા ,અમદાવાદ, અને રાજકોટ ખાતે આવેલ હતી. પ. રેલ્વે પોલીસ યુનિટમાં આવેલ રર પોલીસ સ્ટેશનો પૈકી વડોદરા,સુરત,અમદાવાદ, મહેસાણા, અને રાજકોટના પાંચ પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. હતાં જયારે બાકીના સતર પોલીસ સટેશનોના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. હતાં. આ સતર (૧૭) પોલીસ સ્ટેશનનોના વિસ્તારને ચાર સર્કલ માં વહેંચેલ હતા. જે દરેક સર્કલના વડા સી.પી.આઇ. હતા. જેઓની કચેરી વડોદરા, અમદાવાદ, મહેસાણા, અને રાજકોટ ખાતે હતી. વડોદરા સર્કલમાં વલસાડ, ભરૂચ,ગોધરા,અને ડભોઇ રેલવે પોલીસ સ્ટેશનો આવેલા હતા. અમદાવાદ સર્કલમાં આણંદ, નડીયાદ, સાબરમતી, રેલ્વે પોલીસ સ્ટેશનો આવેલ હતા.મહેસાણા સર્કલમાં વિરમગામ, પાલનપુર, રાધનપુર રેલ્વે પોલીસ સ્ટેશનો આવેલ હતા.
રાજકોટ સર્કલમાં જામનગર, જેતલસર,જુનાગઢ, ધોળા, ભાવનગર,સુરેન્દ્નગર, ગાંધીધામ, રેલ્વે પોલીસ સ્ટેશનો આવેલા હતાં. સર્કલ પો.ઇન્સ.શ્રીઓએ તેઓના સર્કલમાં આવેલા પોલીસ સ્ટેશનોની દેખરેખ તથા સુપરવિઝન રાખવાનું હતુ.
પરંતું પ. રેલ્વે પોલીસ યુનિટ,(જી.આર.પી)નું કાર્યક્ષેત્ર વિશાળ હોવાના કારણે કાયદો અને વ્યવસ્થામાં તથા વહીવટીય કામમાં સરળતા અને પારદર્શિતા લાવવા સારૂં ગુજરાત સરકારશ્રીના તા.ર૫/૯/ર૦૦૯ના ઠરાવ ક્રમાંકઃ મહક/૧૦૦૯/ર૦૩૪/સ. તથા તા.૬/૮/ર૦૧૦ના ઠરાવ
ક્રમાંકઃ મહક/૧૦૦૯/૩૮૮૯/સ. થી નવી જગ્યાઓ મંજુર થતાં, પ. રેલ્વે, અમદાવાદ ઝોન
અસ્તિત્વમાં આવ્યુ.અને પ. રેલ્વે અમદાવાદ ઝોનને નવી જગ્યાઓ ફાળવવામાં આવી.
જેથી પ. રેલ્વે વડોદરા અને પ.રેલ્વે, અમદાવાદ તરીકે બે જીલ્લાનુ માહે-૧/ર૦૧૧ (જાન્યુ.-ર૦૧૧)થી વિભાજન કરવામાં આવેલ છે.
જેમાં પ.રેલ્વે પોલીસ યુનિટ વડોદરા માટે એક પોલીસ અધિક્ષકશ્રીના તાબામાં કાયદો અને વ્યવસ્થા તેમજ વહિવટની સંપૂર્ણ જવાબદારી છે. પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ, વડોદરા ખાતે કૂલ-૮ (આ૮) પોલીસ સ્ટેશનનો નો સમાવેશ થાય છે.તેમજ કૂલ- --- આઉટ પોસ્ટ આવેલ છે.પ. રેલ્વે ,વડોદરા યુનિટમાં આવેલ પોલીસ સ્ટેશનોનો વિસ્તાર બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે.આ બે વિભાગ વડોદરા અને સુરત છે. આ વિભાગોના વડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી છે.જે ઓની કચેરી વડોદરા અને સુરત ખાતે આવેલ છે.પ. રેલ્વે પોલીસ યુનિટમાં આવેલ આઠ પોલીસ સ્ટેશનો પૈકી વડોદરા અને સુરત આ બે પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. છે. જયારે બાકીના છ પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. છે.આ છ પોલીસ સ્ટેશનોના વિસ્તારને બે સર્કલમાં વહેંચેલ છે.જે દરેક સર્કલના વડા સી.પી.આઇ. છે.જેઓની કચેરી વડોદરા તથા વલસાડ ખાતે આવેલ છે. વડોદરા સર્કલ માં નડીયાદ, આણંદ, ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનો આવેલા છે. જયારે વલસાડ સર્કલમાં વલસાડ,ભરૂચ, ડભોઇ પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવેલ છે. સર્કલ પોલીસ ઇન્સ.શ્રીઓએ તેઓના સર્કલમાં આવેલા પોલીસ સ્ટેશનોની દેખરેખ તથા સુપરવિઝન રાખવાનું હોય છે.
(ર.૪) પશ્ચિમ રેલ્વે પોલીસની ફરજો
પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટના પોલીસ કર્મચારી/અધિકારીઓની મુખ્યત્વે નીચે મુજબની ફરજો છે.
(૧) રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતાં મુસાફરોની સલામતી અને સુરક્ષા જાળવવાની
(ર) રેલ્વે ધ્વારા મુસાફરી કરતા મુસાફરો તથા રેલવેની હદમાં રહેતા રેલ્વે કર્મચારીઓ તથા તેમના કુટુંબના સભ્યોના જાન-માલનું રક્ષણ કરવાનું
(૩) રેલ્વે ધ્વારા મુસાફરી કરતા મહાનુભાવ, વી.આઇ.પી. શ્રીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા પુરી પાડવાનું
(૪) પ્રજાની ફરીયાદો/રજુઆતોને સાંભળી ફરીયાદોનોંધી લઇ તેની ત્વરીત કાર્યવાહી કરી નિકાલ કરવાની
(પ) અસામાજીક પ્રવૃતિઓ તથા અનૈતિક પ્રવૃતિઓને નેસ્તનાબુદ કરવાની
(૬) સરકારશ્રી/ઉપરી અધિ.શ્રી તરફથી વિધાન સભા પ્રશ્નો/લોકસભા પ્રશ્નો અને રાજય સભા પ્રશ્નો સબબ માહિતી માંગવામાં આવે છે. ત્યારે સમયમર્યાદામાં જવાબ પાઠવવાની કામગીરી કરવામાં આવે છે.
(૭) રેલ્વે બોર્ડ તરફથી માંગવામાં આવતી માહિતી સમયમર્યાદામાં પુરી પાડવામાં આવે છે.
(૮) નામદાર કોર્ટ તરફથી કાઢવામાં આવતા સમન્સ/વોરંટ/નોટીસની બજવણીની કામગીરી કરવાની
(૯) કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની
(ર.પ) પશ્ચિમ રેલ્વે પોલીસની મુખ્ય પ્રવૃતિઓ/ કાર્યો
પ.રેલ્વે પોલીસની મુખ્ય પ્રવૃતિઓ/કાર્યો નીચે મુજબ છે.
(૧) રેલ્વેમાં મુસાફરી કરતાં મુસાફરોની સલામતી ,સુરક્ષા તથા જાન-માલના રક્ષણ માટે દિવસ તથા રાતના બે શીફટમાં સતત ર૪ કલાક ટ્રેનોમાં, સ્ટેશનો ઉપર,રેલ્વે યાર્ડતથા રેલ્વેની હદમાં નિયમિત પણે ફરજ બજાવવામાં આવે છે.
(ર) પોલીસ સ્ટેશનો માં નોંધાતા ગુનાઓની ઊંડાણ પૂર્વક તટસ્થ રીતે અને પ્રમાણિક પણે તપાસ કરી ગુનેગારોને અટક કરી ફરીયાદીને ન્યાયાલય ધ્વારા ન્યાય અપાવવામાં આવે છે.
(૩) રેલ્વે ટ્રેનથી તથા અન્ય રીતે થયેલ અકસ્માતમાં ઇજા પામનારને તાત્કાલીક સારવાર મળી રહેતે માટે ત્વરીત દવાખાને પહોંચાડવામાં આવે છે. તે.મજ રેલ્વે ટ્રેન અકસ્માતથી તથા અન્ય રીતે મરણ જનાર ઇસમો મોટા ભાગના રેલ્વે પેસેન્જરો હોય અને તે દેશના જુદા-જુદા ભાગો માંથી ટ્રેનોમાં મુસાફરી કરતા હોય તેઓના વાલી વારસોની તાત્કાલીક શોધ ખોળ માટેના સાધનોનો ઉપયોગ કરી મરનારના વાલી વારસોનો સંપર્ક કરી જાણ કરી જરૂરી કાર્યવાહી તાત્કાલીક કરવામાં આવે છે.
(૪) કોઇ પણ અરજદારની રજુઆત અંગે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરી અરજદારને સાચો ન્યાય મળી રહે તે માટેની કાર્યવાહી કરવામાં આવે છે.
(પ) ઉપરી અધિકારીશ્રી તરફથી તથા સરકારશ્રી તરફથી જયારે રેલ્વે પોલીસને જરૂરી તાલીમ અંગેના હુકમો કરવામાં આવેછે. ત્યારે તે મુજબની તાલીમ અંગેની તજવીજ કરવામાં આવે છે.
આ ઉપરાંત યુનિટમાં પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ વ્યવસ્થિત રીતે બજાવે તેમાટે તેઓના સુપરવિઝન અધિકારીઓ ધ્વારા સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે. પોલીસ સ્ટેશનોમાં વહીવટીય તથા ક્રાઇમ ને લગતા કાર્યો તેમજ શિસ્તની જાળવણી અંગે પોલીસ મેન્યુઅલમાં સુચવ્યા મુજબ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર,નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ અધીક્ષક ધ્વારા પોલીસ સ્ટેશનોની તપાસણી નિયમિત પણે કરવામાં આવે છે.સારી અને પ્રમાણિક કામગીરી કરનારની પ્રોત્સાહિત કરવામાટે તેઓની કરેલ કામગીરીને બિરડાવવામાં આવે છે. અને તેઓને નિયમ મુજબ ઇનામો પણ આપવામાં આવે છે.
(ર.૬) પશ્ચિ રેલ્વેપોલીસ ધ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ
રેલ્વે ટ્રનોમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી અને સુરક્ષા તથા તેઓના જાન- માલના રક્ષણ માટે મહત્વની દરેક ટ્રેનોમાં હથિયાર સાથે પોલીસના માણસોની ચલીત ચોકી ટ્રેન પેટ્રોલીંગ રાખવામાં આવે છે.
રેલ્વે માં મુસાફરી કરતા મહાનુભાવો, વી.આઇ.પી.શ્રીઓને સંપૂર્ણ સલામતી અને સુરક્ષા પુરી પાડવામાં આવે છે.કોઇ પણ વ્યકિત જયારે ફરીયાદ કરવા આવે છે ત્યારે તેની ફરીયાદ તાત્કાલીક નોંધી લઇ તેને ફરીયાદની નકલ આપી નોંધવામાં આવેલ ફરીયાદ અંગે તાત્કાલીક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.
જયારે કોઇ પણ વ્યકિત રેલ્વે ટ્રેનથી અગર તો અન્ય રીતે મરણ થાય ત્યારે બનાવવાળી જગ્યાએ તત્કાલીક પ્હોંચી જઇ જરૂરી કાગળો કરી મરનમારની લાશને પોસ્ટમોર્ટમ માટે તાત્કાલીક દવાખાને પહોંચાડવામાં આવે છે.
સરકારશ્રી, તકેદારી આયોગ, ઉપરી અધિકારી શ્રી ઓ તરફથી તેમજ અરજદારો તરફથી આવતી અરજીઓની તપાસ હાથ ધરી અરજીઓના નિકાલ કરવામાં આવે છે.
પ્રજા ધ્વારા તથા પ્રજાના નેતાઓ ધ્વારા જયારે કોઇ પણ કાર્યક્રમો રાખવામાં આવે છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ પણે જાળવણી કરવામાં આવે છે.
અરજદારો તથા મુલાકાતીઓને સંપૂર્ણ રીતે સાંભળી યોગ્ય ન્યાય મળી રહે તેમાટે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે છે.
(ર.૭) પશ્ચિ રેલ્વે પોલીસના રાજય,નિયામક કચેરી,પ્રદેશ,જીલ્લો, બ્લોક, વિગેરે સ્તરોએ સંસ્થાગત માળખાનો આલેખ
પ.રેલ્વે પોલીસ યુનિટનો સંસ્થાગત માળખાનો આલેખ ચાર્ટ સ્વરૂપે આ સાથેના એનેક્ષર- એ ઉપર સામેલ છે.તેમાં જણાવેલ વિગતોની માહિતી નીચે મુજબ છે.
પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટનું વડું મથક,વડોદરા ખાતે આવેલ છે.તેના વડા પોલીસ અધિક્ષકશ્રી છે,અને તેનું કાર્યક્ષેત્ર કૂલ આઠ (૮) રેલ્વે પોલીસ સ્ટેશનોમાં મધ્ય ગુજરાત રાજય માં આવેલ છે. આ આઠ પોલીસ સ્ટેશનોને બે વિભાગમાં વિભાજીત કરેલ છે. આ વિભાગના વડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી છે.મુખ્ય મથક, વડોદરાખાતે આવેલ કચેરીના વહીવટીય કાર્યોમાટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક,નાઓની કચેરી આવેલ છે. તથા એસ.સી.એસ.ટી. સેલ માટે એક નાયબ પોલીસ અધિક્ષકશ્રી છે. યુનિટમાં આવેલ આઠ પોલીસ સ્ટેશનો પૈકી બે પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર તથા બાકીના છ પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. છે. છ પોલીસ સ્ટેશનોને બે સર્કલમાં વહેંચવામાં આવેલ છે. અને આ સર્કલના ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ.છે.મુખ્ય મથક, ખાતે એક રીઝર્વ પોલીસ સબ ઇન્સ્પેકટર છે.આ ઉપરાંત અત્રેની કચેરીના એલ.આઇ.બી.શાખામાં એક પોલીસ ઇન્સ્પેકટરની કચેરી છે.તથા અત્રેના યુનિટમાં બનતા ગુનાઓ પૈકી વણશોધાયેલ ગુના ઓમાટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ મુખ્ય મથકખાતે આવેલ છે.જેના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર છે. લોકલ ક્રાઇમ બ્રન્ચના બે વિભાગ પાડવામાં આવેલ છે. જેમાં પોલીસ સબ ઇન્સ્.પેકટર કક્ષાના બે અધિકારી છે અને તેઓની કચેરીઓ સુરત, વડોદરા ખાતે આવેલ છે.મુખ્ય મથક, ખાતે આવેલ કચેરીમાં મોડસ ઓપરેન્ટીસ બ્યુરો છે.જેના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. છે.મુખ્ય મથક, ખાતે વાયરલેસ વિભાગ આવેલ છે તેના ઇન્ચાર્જ વાયરલેસ પોલીસ સબ ઇન્સ. છે.મહિલાઓને થતાં અત્યાચાર અને મહિલાઓ વિરૂધ્ધના બનતા બનાઓ બાબતે મહિલા સેલ ઉભું કરવામાં આવેલ છે.જેના ઇન્ચાર્જ વુ.પો.સબ ઇન્સ. છે. ઉપરોકત કચેરીઓમાં તથા યુનિટમાં આવેલ પોલીસ સ્ટેશનમાં ચાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી , બે સર્કલ
પોલીસ ઇન્સ્પેકટર, પાંચ પોલીસ ઇન્સ્પેકટર, તથા અગીયાર પોલીસ સબ ઇન્સ્પેકટર, ૫૮પ એ.એસ.આઇ./હેડ કોન્સ.તથા ૧૩પપ પોલીસ કોન્સ.નું મંજુર મહેકમ છે.તે ઉપરાંત કચેરીમાં વહીવટીય કામગીરી સારૂં એક કચેરી અધિક્ષક અને તેઓના હાથ નીચે ૦૩ મુખ્ય કારકુન ,૦૬ સીનીયર કારકુન, ૧પ જુનીયર કારકુન, ૦૪ ટાઇપીસ્ટ, ૦૩ પટાવાળાનો સ્ટાફ છે. તેમજ માળી - ૦૧, કેન્ટીન બોય-૦૧, સફાઇકામદાર-૧૬, દરજી-૦૧,બેલા બોય-૦૧ નુ; મંજુર મહેકમ છે.તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ કચેરીમાં વહીવટીય કામગીરીમાટે વડોદરા ખાતે ૦૧ જુનીયર કારકુન ,૦૧ પટાવાળા સ્ટાફનું મહેકમ છે.
(ર.૮) પશ્ચિ રેલ્વે પોલીસની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને પહોંચી વળવા માટે તેમજ ખુન, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ કે જે સ્થાનીક પોલીસ ધ્વારા ન શોધી શકાયા હોય તેવા ગુનાઓને શોધવાની કામગીરી અને અન્ય બાબતોમાં લોકો પાસેથી તંત્રની નીચે પ્રકારની અપેક્ષાઓ છે.
(૧) ખુન , બળાત્કાર તથા અન્ય ગુનાઓ અને બનાઓ બને છે. ત્યારે વર્તમાનપત્રોમાં તેની પ્રસિધ્ધિ આવતી હોય છે. આવખતે લોકો જો આગુનાઓ બાબતે જાણતા હોય તો તેઓએ તપાસ અધિકારીને ગુના શોધવાની કામગીરીમાં મદદ કરવી જોઇએ
(ર) સાચા ગન્હેગારો બાબતે તેઓ માહિતી જાણતા હોય તો તુરતજ પુરી પાડી અને તેઓ પાસે સાચા પુરાવા હોય તો પુરા પાડીને પોલીસની કામગીરીમાં મદદરૂપ થાય તેવી અપેક્ષા પ્રજા પાસેથી રાખવામાં આવે છે.
(૩) જયારે જયારે કોઇ પોલીસ અધિકારી /કર્મચારી ગુના શોધનની કામગીરીમાટે પ્રજાપાસે જાય ત્યારે પ્રજાએ નિર્ભયતા અને જાગ્રૃતા દાખવી તોઓને મદદ કરવી જોઇએ .પ્રજાજો આ બાબતે જાણતી હોય તો પત્ર ધ્વારા, ફોન ધ્વારા, ફેકસ ધ્વારા, ઇ-મેઇલ ધ્વારા આ કચેરીને અગરતો સંબધિત પોલીસ સ્ટેશનને અથવા કોઇ પણ પોલીસ સ્ટેશને અધિકારી /કર્મચારીને માહિતી આપી શકે છે.
જો બાતમી આપનાર પોતાનુંનામ ગુ૫ત રાખવા માંગતા હશે તો તેઓનું નામ ગુપ્ત રહેશે. યોગ્ય કિસ્સાઓમાં કેસને ડીટેકશન સુધી લઇ જવા માં મદદરૂપ થવાના સંજોગોમાં યોગ્ય તે રકમનો પુરસ્કાર પણ આપવામાં આવે છે.
(પ) આર્થિક ગુન્હેગારો મોટા ભાગે પહેલા લલચામણી જાહેરાતો આપીને પ્રજાને ગેર માર્ગે દોરી તેઓના નાંણા ભોળવીને લઇ જાય છે. પ્રજાએ કોઇ પણ જગ્યાએ નાણા રોકતા પહેલા કે નાણાનો વ્યવહાર કરતાં પહેલા સામાવાળી વ્યકિત કે સંસ્થા બાબતે પુરતી તપાસ કરવી જોઇએ જયા સુધી પ્રજા જાગૃત નહી થાય ત્યા સુધી આડકતરી રીતે આર્થિક ગુન્હા ખોરી ઉત્તેજન મર્યા કરશે.
(૬) આપના આજુ બાજુના વિસ્તારમાં સંદિગ્ધ પ્રવૃતિ કરનાર ઇસમ દેખાય કે, જાણકારી મળેતો તુરતજ સ્થાનિક પોલીસને અગર તો તંત્રને જાણ કરવાની તેઓની ફરજ છે.
(૭) અત્રેના યુનિટમાં મુસાફરો રેલ્વે ટ્રેનો ધ્વારા મેસાફરી કરેછે.અને આ મેસાફરી મોટાભાગે આંતરરાજય લેવલે થાય છે. મુસાફરોની મુસાફરી દરમ્યાન કેટલાક મુસાફરો રેલ્વે ટ્રેનોમાં મુસાફરી દરમ્યાન કેટલાક અજાણ્યા ઇસમોના સંપર્કમાં આવી તેઓ સાથે વાતચીતમાં વિશ્વાસમાં આવી જાય છે.અને આવા વ્યકિતઓ ધ્વારા આપવામાં આવેલ નશા યુક્ત પદાર્થો, ખાવાીવામાં ઉપયોગ કરવાથી તેઓ બેભાન થઇ જતા; તેઓના માલ સામાન રોકડ,દાગીના વિગેરે ઉઠાંતરી કરી જવાના કિસ્સાઓ બનતા હોય છે. જેથી આ અંગે પેસેન્જરોને જાગૃત રહેવા અને સાવધાની રાખવા મહત્વના દરેક રેલ્વે સ્ટેશનોએ રેલ્વે તંત્ર ધ્વારા એનાઉન્સ કરાવવામાં આવે છે. રેલ્વે સ્ટેશનો તથા રેલ્વે ટ્રેનના ડબ્બાઓમાં પોસ્ટરો પણ ચોંટાડવામાં આવે છે. છતાં પણ પેસેન્જરો આ પ્રકારના બનાવોના ભોગ બનતા હોય છે. જેથી પેસેન્જરોએ જાગૃત થઇ પુરી સાવધાની રાખી અજાણ્યા ઇસમો પાસેથી કોઇ પણ ખાવા પીવાની ચીજ વસ્તુઓના ઉપયોગ કરવાથી દૂર રહેવાની તથા આવા ગુનાઓ કરતાં ઇસમો મુસાફરી દરમ્યાન પેસેન્જરોના સંપર્કમાં આવતા હોય છે. જેથી તેઓને પકડાવવા માટે પોલીસને મદદરૂપ થવું જોઇએ.
(ર.૯) લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પદ્ઘતિઓ :-
(૧) લોક સહયોગ મેળવવા માટે “ પોલીસ મિત્ર યોજના ” નો અમલ કરી પોલીસ મિત્ર બનાવવામાં આવે છે.
(૨) દર માસે લોક દરબારો યોજવામાં આવે છે.
(૩) જ્યારે કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ અને બનાવો બને છે. અને વણ શોઘાયેલ રહે છે. ત્યારે કેસની ગુણવત્તા અને અન્ય પાસાઓને ઘ્યાનમાં રાખી જરૂરીયાત ના કિસ્સાઓમાં વર્તમાન પત્રોમાં જાહેરાત આપીને ગુન્હેગારોની માહિતી આપવા બાબતે લોક સહયોગ મેળવવામાં આવે છે. તેવીજ રીતે ખાનગી રાહે પણ જે તે તપાસનીશ અઘિકારીશ્રીઓ ઘ્વારા પ્રજાનો રૂબરૂમાં સંપર્ક કરીને માહિતી મેળવવામાં આવે છે.
ર.૧૦ સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્ઘ તંત્ર :-
આ માટે અત્રેના યુનિટમાં ૦૮ પોલીસ સ્ટેશનોમાં પોલીસ ઇન્સ્પેક્ટર/પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અઘિકારીઓ, યુનિટના બે વિભાગોમાં નાયબ પોલીસ અઘિક્ષકશ્રીઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના ૦૬ પોલીસ સ્ટેશનોના બે સર્કલમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા મુખ્ય મથક ખાતે નાયબ પોલીસ અઘિક્ષકશ્રીની કચેરી આવેલ છે. તેમ છતાં પણ જાહેર પ્રજાની આ કચેરીના કોઇ પણ અઘિકારી/કર્મચારી બાબતે કે અન્ય બાબતે કોઇ ફરીયાદ હોય તો પોલીસ અઘિક્ષકશ્રીનો કે અન્ય સિનિયર અઘિકારીશ્રીનો રૂબરૂમાં કે ફોનથી સંપર્ક કરી શકે છે. તેવીજ રીતે અરજી ઘ્વારા, ઇ-મેઇલ ઘ્વારા કે ફેક્સ ઘ્વારા, લેખિતમાં રજુઆત કરી શકે છે.
૨.૧૧ મુખ્ય કચેરી અને જુદા-જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીઓના સરનામાં :-
પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરામાં આવેલ જુદી-જુદી કચેરીઓના સરનામાની વિગત નીચે મુજબ છે.
અ.નં.
|
કચેરીનું નામ
|
સરનામું
|
૧
|
પોલીસ અઘિક્ષકશ્રીની કચેરી
|
રેલ્વે પોલીસ ભવન, કોઠી કચેરીની બાજુમાં, વડોદરા.
|
૨
|
નાયબ પોલીસ અઘિક્ષકશ્રી મુખ્ય મથકની કચેરી
|
રેલ્વે પોલીસ ભવન, કોઠી કચેરીની બાજુમાં, વડોદરા.
|
૩
|
નાયબ પોલીસ અઘિક્ષકશ્રીની કચેરી પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગ વડોદરા
|
કુબેર ભવન, બીજો માળ, વડોદરા.
|
૪
|
સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની કચેરી, પશ્ચિમ રેલ્વે, વડોદરા.
|
વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં-૧, પાર્સલ ઓફિસની ઉપરના ભાગે, પહેલા માળે, વડોદરા.
|
૫
|
પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, એલ.સી.બી. પશ્ચિમ રેલ્વે, વડોદરાની કચેરી
|
રેલ્વે પોલીસ ભવન, કોઠી કચેરીની બાજુમાં, વડોદરા.
|
૬
|
પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, એલ.આઇ.બી. પશ્ચિમ રેલ્વે, વડોદરાની કચેરી
|
રેલ્વે પોલીસ ભવન, કોઠી કચેરીની બાજુમાં, વડોદરા.
|
૭
|
પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી, વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન
|
વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન જી.વડોદરા.
|
૮
|
પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી, સુરત રેલ્વે પોલીસ સ્ટેશન
|
સુરત રેલ્વે પોલીસ સ્ટેશન જી.સુરત.
|
૯
|
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશન
|
નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશન જી.નડીયાદ.
|
૧૦
|
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, આણંદ રેલ્વે પોલીસ સ્ટેશન
|
આણંદ રેલ્વે પોલીસ સ્ટેશન જી.આણંદ.
|
૧૧
|
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, ગોઘરા રેલ્વે પોલીસ સ્ટેશન
|
ગોઘરા રેલ્વે પોલીસ સ્ટેશન જી.ગોઘરા.
|
૧૨
|
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, ડભોઇ રેલ્વે પોલીસ સ્ટેશન
|
ડભોઇ રેલ્વે પોલીસ સ્ટેશન જી. વડોદરા
|
૧૩
|
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન
|
ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન જી. ભરૂચ.
|
૧૪
|
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન
|
વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન જી. વલસાડ.
|
૧૫
|
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, એલ.સી.બી. પશ્ચિમ રેલ્વે, વડોદરા
|
વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં-૧, ઉપર પાર્સલ ઓફિસની ઉપરના ભાગે, પહેલો માળ, વડોદરા.
|
૧૬
|
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, એલ.સી.બી. પશ્ચિમ રેલ્વે, સુરત
|
સુરત રેલ્વે પોલીસ સ્ટેશન જી.સુરત.
|
૧૭
|
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, એમ.ઓ.બી.શાખા પશ્ચિમ રેલ્વે, વડોદરા
|
રેલ્વે પોલીસ ભવન, કોઠી કચેરીની બાજુમાં, વડોદરા.
|
૧૮
|
રીડર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, પશ્ચિમ રેલ્વે, વડોદરા
|
રેલ્વે પોલીસ ભવન, કોઠી કચેરીની બાજુમાં, વડોદરા.
|
૧૯
|
રીઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, પશ્ચિમ રેલ્વે, મુખ્ય મથક, વડોદરા
|
રેલ્વે પોલીસ ભવન, કોઠી કચેરીની બાજુમાં, વડોદરા.
|
૨૦
|
કચેરી અઘિક્ષકશ્રીની કચેરી,પશ્ચિમ રેલ્વે, વડોદરા
|
રેલ્વે પોલીસ ભવન, કોઠી કચેરીની બાજુમાં, વડોદરા.
|
૨.૧૨ કચેરી શરૂ થવાનો સમય :-
કલાક ૧૦/૩૦ વાગ્યે ( પોલીસ અઘિક્ષકશ્રી, પશ્ચિમ રેલ્વે, વડોદરા, નાયબ પોલીસ અઘિક્ષકશ્રીની કચેરીઓ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીની કચેરીઓ )
કચેરી બંઘ થવાનો સમય :-
કલાક ૧૮/૧૦ વાગ્યે ( પોલીસ અઘિક્ષકશ્રી, પશ્ચિમ રેલ્વે, વડોદરા, નાયબ પોલીસ અઘિક્ષકશ્રીની કચેરીઓ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીની કચેરીઓ )
- પોલીસ અઘિક્ષકશ્રીની કચેરી મુખ્ય મથક ખાતે વહીવટી કામ અંગેની કચેરીઓ બીજા તથા ચોથા શનિયાર, તમામ રવિવાર તથા જાહેર રજાઓના દિવસો દરમ્યાન બંઘ રહે છે.
નોંઘ :- અત્રેના યુનિટ વડોદરામાં આવેલ પોલીસ સ્ટેશનો ૨૪ કલાક માટે કાર્યરત હોય છે.
|