પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે |
http://www.sprailway.gujarat.gov.in |
માહિતી કક્ષની વિગતો |
6/7/2025 11:04:45 PM |
|
લોકોને માહિતી મળે તે માટે વિભાગે અપનાવેલ સાધનો, પદ્વતિઓ અથવા સવલતો જેવી કે,
-
કચેરી ગ્રંથાલય -- ફકત કચેરીના ઉપયોગ માટેજ છે. કચેરી ગ્રથાલય નિભાવવામાં આવે છે અને તમામ પુસ્તકોનું રજીસ્ટર નિભાવી વ્યવસ્થિત ગોઠવવામાં આવેલ છે.
-
નાટક અને શો -- આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી.
-
વર્તમાન પત્રો -- યુનિટમાં બનતા પ્રસિઘ્ધ કરવા લાયક બનાવો અંગે લોકો માહિતગાર થાય તે માટે બનાવોની માહિતી વર્તમાન પત્રોમાં આપવામાં આવે છે.
-
પ્રદર્શનો --
-
રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો મુસાફરી દરમ્યાન તેઓની માલ-મિલ્કતની ચોરી થવાના ભોગ બનતા હોય છે. તેવા મુસાફરોને જાગળત કરવા તથા સાવધાની રાખવા માટે મુસાફરી દરમ્યાન કોઈ પણ અજાણ્યા વ્યકિતઓ પાસેથી ખાવા-પિવાની ચીજ વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા માટેના લખાણ રેલ્વે સ્ટેશનો ઉપર તથા ટ્રેનના ડબ્બાઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે.
-
યુનિટના દરેક પોલીસ સ્ટેશનોમાં મિલ્કત વિરૂઘ્ધના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓના ફોટાઓનુ આલ્બમ રાખવામાં આવે છે. જે ફોટો આલ્બમ ઉપરથી મિલ્કત વિરૂઘ્ધના ગુનાઓમાં ભોગ બનનારને ફોટો આલ્બમ બતાવી ગુનેગારની ઓળખ મેળવવામાં આવે છે.
-
બિનવારસી મળી આવેલ લાશના તથા ગુમ થયેલ ઈસમોના ફોટાઓ યુનિટના દરેક પોલીસ સ્ટેશનોમાં પ્રદર્શિત કરવા માટે રાખવામાં આવે છે.
-
નોટીસ બોર્ડ -- આવી કોઈ વ્યવસ્થા નથી.
-
કચેરીમાં રેકર્ડનુ નિરીક્ષણ -- લાગુ પડતું નથી.
-
દસ્તાવેજોની નકલો મેળવવાની પદ્વતિ -- અકસ્માત મોતના બનાવોમાં તથા અકસ્માતે થયેલ ઈજાના બનાવોમાં ભોગ બનનારના વાલી વારસોને કાગળોની નકલો મેળવવા માટે બનેલ બનાવના સબંધીત પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી નિયત કરેલ ફી ભરી નકલો મેળવી શકે છે.
-
ઉપલબ્ધ મુદ્રિત નિયમ સંગ્રહ -- લાગુ પડતું નથી.
-
જાહેર તંત્રની વેબ સાઈડ -- ટૂંક સમયમાં શરૂ થનાર છે.
-
જાહેર ખબરના અન્ય સાધનો -- રેલ્વે ટ્રેનો દ્વારા મુસાફરી કરતા મુસાફરોને કોઈ પણ અજાણ્યા વ્યકિત પાસેથી ખાવા-પિવાની ચીજવસ્તુઓનો ઉપયોગ નહીં કરવા માટે તેમજ ખિસ્સા કાતરૂંઓથી સાવધાન રહેવા માટે રેલ્વે તંત્રના એનાઉન્સ દ્વારા પેસેન્જરોને સાવચેત રહેવા જણાવવામાં આવે છે.
|